ટીંબી ખાતે આવેલ સેવાની અવિરત ગંગા એવી નિર્દોષાનંદ હોસ્પિટલમાં દર્દીનારાયણની નિઃસ્વાર્થ અને નિઃશૂલ્ક સેવા કરવામાં આવે છે. દર્દીની સાથે આવનાર લોકોને પણ રહેવા જમવાની સુવિધા પ્રાપ્ત થાય છે. તેમના સેવાકીય કાર્યોથી પ્રેરાઈને વ્રજ કન્સ્ટ્રકશન કંપનીનાં માલિક અને સંજાગ ન્યૂઝનાં મોભી વસંતભાઈ મોવલીયાએ રૂ.પ૧ હજારનું અનુદાન અર્પણ કરેલ હતું. આ તકે બી.એલ. રાજપરા, હસમુખભાઈ રાજપરા, સુરેશભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા હતા.