અમરેલીના નાના માચિયાળા ગામે રહેતા એક યુવકને કામ ધંધો મળતો નહોતો. જેથી તેણે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મરણ પામ્યા હતા. બનાવ અંગે મહેન્દ્રભાઈ રવજીભાઈ પરમાર (ઉ.વ.૩૨)એ જાહેર કર્યા મુજબ, મનિષભાઈ રવજીભાઈ પરમાર (ઉ.વ.૩૦)ને કોઈ કામ ધંધો ચાલતો નહોતો અને કામ મળતું નહોતું. જેથી કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ પામ્યા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.ડી. અમરેલીયા વધુ તપાસ કરી રહ્યા છે. ખીજડીયા જંકશન ગામે કપાસના વાવેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતાં દવાની જણ ઉડતાં ઝેરી અસર થતાં યુવકને સારવારમાં દાખલ કર્યો હતો. અમરેલીમાં રહેતી એક પરિણીતાએ માથાના દુઃખાવાથી કંટાળી અનાજમાં નાખવાનો ઝેરી દવાનો પાવડર પાણી સાથે ભેળવીને પી જતાં સારવાર અર્થે ખસેડાઈ હતી.