અમરેલીના નાના આંકડીયા ગામની સીમમાં ભીખાભાઈ પ્રાગજીભાઈ ડોબરીયાની વાડીએ રહેતા એક શ્રમિકે લગ્ન નહીં થતાં કૂવામાં પડતું મૂકીને જીવન ટૂંકાવી દીધું હતું. બનાવ અંગે બોરસદના કાવીડા ગામે રહેતા સોમાભાઈ વરસીંગભાઈ ભીલ (ઉ.વ.૨૮)એ જાહેર કર્યા મુજબ, તેમના મોટાભાઈ રમેશભાઈ વરસીંગભાઈ ભીલ (ઉ.વ.૩૧)ના લગ્ન આજદિન સુધી થયા નહોતા. પોતાના લગ્ન થશે નહીં તેવું મનમાં લાગી આવતાં પોતાની મેળે કૂવામાં પડતું મૂકયું હતું. જેના કારણે ડૂબી જવાથી મરણ પામ્યા હતા.