દિવાળી પછી શરૂ થનારા નૂતન વર્ષમાં પરણવા માટે ઇચ્છુક યુવક-યુવતીઓ માટે લગ્ન માટે પ્રથમ ત્રણ માસમાં જ ૨૮ મુહૂર્ત છે. જેથી આ વર્ષે લગ્નસરાની સિઝન પૂરબહારમાં ખીલવાની શક્યતા છે. તુલસી વિવાહના દિવસથી લગ્નસરાની સિઝન શરૂ થતી હોય છે. ગુજરાતી કાર્તિકી પંચાંગ અનુસાર શરૂઆતના ત્રણ માસ એટલે કે કારતક, માગશર અને પોષ ત્રણેય માસના મળીને ૨૮ મુહૂર્ત થાય છે. બગસરાથી દર્શન ઠાકરના જણાવ્યા અનુસાર કારતક માસમાં લગ્ન માટે નવ, પછીના માગસરમાં સૌથી વધુ અગિયાર જ્યારે પોષ માસમાં આઠ મુહૂર્ત મળી રહ્યા છે. આમ એકંદરે આ વર્ષે સવંત ૨૦૮૧માં લગ્નમાં છેલ્લા ઘણા વર્ષોમાં આવેલા મુહૂર્ત કરતા વધુ છે. નવેમ્બર ૨૦૨૪માં ૧૨, ૧૩, ૧૬, ૧૭, ૧૮, ૨૨, ૨૩, ૨૫ અને ૨૭ માગસરમાં ડિસેમ્બરની ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૧૦, ૧૧, ૧૨, ૧૪, ૧૫ના રોજ સૌથી વધુ ૧૧ મુહૂર્ત છે. પોષ માસમાં જાન્યુઆરી ૨૦૨૫ની તારીખ ૧૬, ૧૭, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૪, ૨૬ના રોજ શુભ મુહૂર્ત છે. ૧૬મી ડિસેમ્બર ૨૪ થી ૧૫ જાન્યુઆરી ૨૫ સુધી એક માસ માટે કમુહૂર્તા રહેતા હોવાથી તેમાં કોઈ લગ્ન માટે તારીખો મળતી નથી. પ્રથમ ત્રણ ગુજરાતી માસમાં લગ્ન માટે કુલ ૨૮ મુહૂર્ત જાણકારો યોગ્ય ગણાવી રહ્યા છે.