ગુજરાત શિક્ષણ બોર્ડનું ધો.૧૦નું પરિણામ આવતા જિલ્લાની શાળાઓએ બાજી મારી છે. જેમાં વ્રજ વિદ્યાલય-કુંકાવાવની શાળાએ ૧૦૦% પરિણામ મેળવ્યું છે અને વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. વ્રજ વિદ્યાલય છેલ્લાં પાંચ વર્ષથી ઉત્કૃષ્ટ પરિણામ મેળવી તાલુકામાં મોખરાનું સ્થાન મેળવતી શાળા છે. ધો.૧૦ની પરીક્ષામાં દર્શીલ વિનોદભાઈ બોઘરાએ ૯૯.ર૮ પીઆર સાથે પ્રથમ સ્થાન મેળવી શાળા અને ગામનું નામ રોશન કર્યુ છે. વિદ્યાથીએ ધો.૧૦માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા સંસ્થાના પ્રમુખ વસંતભાઈ મોવલીયા, શાળાના આચાર્ય વિવેકભાઈ દિક્ષીત, ઉદયભાઈ દેસાઈ અને સમગ્ર શાળા પરિવાર, સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા. શાળાના ૭૦%થી વધુ વિદ્યાર્થીઓ એ-૧ અને એ-ર ગ્રેડમાં ઉત્તીર્ણ થયા છે. નવોદયમાં સિધ્ધિ મેળવનાર ધ્યેય સાવલીયાને શાળાનુ ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.