ધોરાજી ખાતે ગતરોજ બપોરના સમયે પોલીસ સ્ટેશનમાં ચોરીના આરોપસર અટકાયત કરાયેલ યુવકે બારી સાથે ગમછો બાંધી ગળાફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી હતી. આ પ્રકારનો ગંભીર બનાવ બનતા જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ સહિત ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયાએ જણાવેલ કે ચોરીના આરોપસર પૂછપરછ માટે અટકાયત કરાયેલ કમલેશ કેશવજી પરમાર(ઉ.વ.૩૦) રે. સિધ્ધાર્થનગર, ભૂખી ચોકડી ધોરાજી વાળા યુવાને બપોરના સમયે મહિલા રૂમમાં બારી પર ગમછો બાંધી જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો. ધોરાજી સિટી પોલીસ ઈન્સ્પેકટર રવી ગોધમએ વિશેષ માહિતી આપતા જણાવેલ કે
મૃતક યુવાને ગળાફાંસો ખાઈ લેતા તુરંત તેને નીચે ઉતારી ૧૦૮ ને જાણ કરી સારવાર માટે ખસેડવામાં આવેલ. જયાં સારવાર દરમિયાન તેમનું
મૃત્યુ નિપજયું હતું. મૃતકના બોડીને ફોરેન્સિક પીએમ માટે મોકલી આપવામાં આવેલ. જેના પ્રાથમિક રિપોર્ટ મુજબ ગળાફાંસો ખાઈ લેવાથી
મૃત્યુ થયું હોવાની જાણ થવા પામી છે. શરીર પર કોઈ અન્ય ઈજાના નિશાન ન હતા. ઈકવેસ્‌ટ ભરતા સમયે
મૃતકના પરિવારજનોને હાજર રાખી ડે.કલેકટરની ઉપસ્થિતિમાં વીડિયો રેકો‹ડગ સાથે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરામાં તે જાતે લેડિઝ રૂમના ટોઈલેટમાં આત્મહત્યાનું પગલું ભરતા સ્પષ્ટ દેખાઈ આવે છે.
મૃતક યુવાન એકલવાયું જીવન વ્યતિત કરતો હતો. તેને ચોરીના પ્રયાસ સબબ પૂછપરછ માટે પોલીસ મથકે બોલાવવામાં આવેલ હતો.