ધોરાજી, તા.૧૪
તાજેતરમાં ધોરાજી લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે બ્રહ્મ ચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરાજી બ્રહ્મ સમાજના યુવા અગ્રણી નયનભાઈ કુહાડીયા અને તેમના પરિવાર દ્વારા દેવર્ષ કુહાડીયાનાં ઉપનયન સંસ્કાર નિમિત્તે વેદોક્ત વિધિ પ્રમાણે ગજાનન આશ્રમ માલસરના પૂજ્ય ગુરુદેવ વિજયભાઈ જોશી તેમજ સુપેડી મુરલી મનોહર મંદિરના મહંત રવિદાસ બાપુની નિશ્રામાં બ્રહ્મ ચોર્યાસી યોજાઈ હતી. જેમાં ધોરાજીમાં વસતા તમામ વિપ્ર પરિવારોએ મંગલ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે ભોજન પ્રસાદનો આસ્વાદ માણ્યો હતો.