ધોરાજી નગરપાલિકા સંચાલિત ઇલેક્ટ્રિક સ્મશાન
ગૃહ છેલ્લા ત્રણ મહિનાથી બંધ હાલતમાં પડ્યું છે. પાલિકા તંત્રની બેદરકારીને કારણે મશીનરી અને હાઇડ્રોલિક સિસ્ટમમાં મરામતની જરૂરિયાત ઊભી થઈ છે. ધોરાજીમાં પહેલા લાકડાથી અંતિમવિધિ કરવામાં આવતી હતી, ત્યારબાદ એ જ પરિસરમાં નવું ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ યોગ્ય જાળવણીના અભાવે છેલ્લા ત્રણ માસથી સંપૂર્ણપણે બંધ હોવાથી લોકોને ફરજિયાતપણે લાકડા દ્વારા અંતિમવિધિ કરવી પડે છે. વરસાદી માહોલમાં લાકડા ભીંજાઈ જવાથી કેટલાક
મૃતદેહોની અંતિમવિધિ ટાયર અને કેરોસીનથી કરવી પડી હોવાની ફરિયાદો પણ ઊઠી છે. લોકોમાં પ્રશ્ન ઊઠી રહ્યો છે કે જ્યારે નિઃસ્વાર્થ ભાવે ખંઢેર જેવા સ્મશાનને બગીચા સમાન બનાવી શકાતું હોય, તો પછી નગરપાલિકા પોતાની જવાબદારી નિભાવી ઇલેક્ટ્રિક સ્મશાન
ગૃહની સારસંભાળ રાખવામાં કેમ નિષ્ફળ રહે છે?