ધારી નજીક આવેલા ભટવાવડી ગામે શ્રી બગલામુખી માતાજીના પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ૧૦ વિદ્યાઓમાં ઉલ્લેખિત માતા બગલામુખીનું આખા સૌરાષ્ટ્રમાં એકમાત્ર મંદિર ભટવાવડીમાં આવેલું છે. તમામ શક્તિઓના દાતા એવા માતાજીના પાટોત્સવની ઉજવણી ભક્તિ અને ઉત્સાહથી કરવામાં આવી હતી.
મંદિરના મુખ્ય ટ્રસ્ટી ગાયત્રી દેવી અને તેમના પરિવારે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર માતાજીનું પૂજન કર્યું હતુ. ત્યારબાદ વિશ્વ શાંતિ માટે એક ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ભોજન અને ભજનનો સુંદર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન.