ગીર પૂર્વ વનવિભાગ ધારી હેઠળની જસાધાર રેન્જના કાર્યક્ષેત્ર હેઠળની નવાબંદર રાઉન્ડની ગીરગઢડા રેવન્યુ બીટના કાર્યક્ષેત્રના ગીરગઢડા તાલુકાના વડવીયાળા ગામમાં ચાલતા નીલકંઠ પ્રા.લી. યુનિટના ધારક દ્વારા ખેતીની જમીનનો બિનખેતી ઉપયોગ કરવા માટે એનઓસી સર્ટી મેળવેલ ન હોવાથી વનવિભાગના નિયમોને આધિન જાગવાઈઓ અનુસાર અને અધિક કલેકટર ગીર સોમનાથના હુકમ અન્વયે નાયબ વન સંરક્ષક ગીર પૂર્વ વનવિભાગ ધારી રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ આ યુનિટને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જે રેન્જ ફોરેસ્ટ ઓફિસર જસાધાર રાજલબેન પાઠક અને મામલતદાર ગીરગઢડા તેમજ નાયબ મામલતદાર ગીરગઢડા અને ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.