જાફરાબાદના ધારાબંદર ગામે રહેતા એક ભાઈએ તેના સગાભાઈને બે વખત લગ્ન અને છૂટાછેડા મુદ્દે ઠપકો આપ્યો હતો. જેને લઈ તેને ઢીકાપાટુ માર્યા હતા અને ૧૯ ટાંકાની ઈજા થઈ હતી. આ અંગે વિનોદભાઈ રામભાઈ બારૈયાએ દિનેશભાઈ રામભાઈ બારૈયા તથા નિતેશભાઈ કાળુભાઈ બાંભણીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમણે તેનો ભાઇ દિનેશભાઈ કામ-ધંધો કરતો ન હોય તેમજ બે વખત લગ્ન કર્યા હતા અને છૂટાછેડા થઇ ગયા હોવાથી લગ્નના ખર્ચ વખતે ચડાવેલા તમામ રૂપિયા અને ખર્ચ બાબતનો ઠપકો આપતા સારૂ નહોતું લાગ્યું. ઉપરાંત ફળીયામાં પડેલી લાકડી વડે માથામાં બે ત્રણ ઘા મારી દાઢીની ડાબી બાજુ એક ઘા માર્યો હતો અને લાકડી વતી માર માર્યો હતો. જેના કારણે વિવિધ જગ્યાએ કુલ-૧૯ ટાંકાની ઈજા થઈ હતી. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.વી.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.