ધનતેરસના તહેવાર (Festival of Dhanteras) પર લોકો સોના ચાંદીની ખરીદીને શુભ માને છે. અમરેલીમાં ધનતેરસને લઈ જ્વેલરી શોરૂમમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. એક બાજુ દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકો ખરીદી માટે બજારોમાં ઉમટી પડ્‌યા છે. અમરેલી ખાતે ધનતેરસે સોના અને ચાંદીની ધૂમ ખરીદી થઈ હતી. લોકોએ સોના ચાંદીની ખરીદી માટે પ્રિ બુકિંગ કરાવવાનું ચાલુ કર્યું છે. એટલું જ નહીં એને ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ જોઈ રહ્યા છે. લગ્નસરા માટે ધનતેરસના પર્વ પર સોનાનું પ્રિ બુકિંગ લગ્નસરા માટે કરાવી રહ્યા છે. અમરેલીમાં આવેલી જ્વેલર્સની દુકાનો જેવી કે, નિલકંઠ જ્વેલર્સ, બાલમુકુંદ જ્વેલર્સ, વ્રજ જ્વેલર્સ, સોની અશોકુમાર, હિતેષ જ્વેલર્સ, મધુવન ગોલ્ડ, વી.કે. જ્વેલર્સ, શ્રીનાથજી જ્વેલર્સ, યમુના જ્વેલર્સ, શ્રી જ્વેલર્સ, સોની જમનાદાસ મુળજી, ભાણજી વનમાળીદાસ સહિતની દુકાનોમાં ભારે ભીડ ઉમટી પડી હતી. આ દુકાનોમાં સોના, હીરા અને ચાંદીની અવનવી વેરાયટી જેવી કે વીંટી, બંગડી, ચૂડલા, ચેન, લક્ષ્મીમાતાનો ચાંદીનો સિક્કો વગેરે તથા સોનુ ખરીદવા આવેલા ગ્રાહકો ખુશ દેખાયા હતા. અમરેલીના જ્વેલરીના વેપારીઓ જણાવી રહ્યાં છે કે, સોનાના ભાવમાં આંશિક વધારો થયો હોવા છતાં આ વખતે સોનાની ખરીદી સારી જોવા મળી રહી છે. અનુમાન છે કે આવનાર દિવસોમાં પણ સોનાના ભાવમાં વધારો થઈ શકે છે. જેના કારણે આ વખતે લોકો સારી રીતે ખરીદી કરી રહ્યા છે. એટલું જ નહીં લોકો અગાઉથી જ પ્રિ બુકિંગ કરાવીને પણ ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. સોનાની ખરીદી કરવા આવતા ગ્રાહકોએ જણાવ્યું હતું કે, પ્રાચીનકાળથી જ આ દિવસે સોના ચાંદીની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. આ પરંપરાને યથાવત રાખવા માટે આજે અમે ખરીદી કરી રહ્યા છીએ. સોનાના ભાવ ઉપર નીચે થતા હોય છે, પરંતુ આ દિવસે અમે ચોક્કસથી સોનાની ખરીદી કરતા હોઈએ છીએ. પૂજા પાઠમાં સામેલ કરતા હોઈએ છીએ. અર્ચનાબેને જણાવ્યું હતું કે, ધનતેરસ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વનો પર્વ છે. આ દિવસે અમે જે કંઈપણ સોના કે ચાંદીની વસ્તુઓ ખરીદતા હોઈએ છીએ તેને રાત્રિ દરમિયાન પૂજા પાઠમાં સામેલ કરતા હોઈએ છીએ. જેના કારણે સુખ અને સમૃદ્ધિ આવે એવું માનવામાં આવે છે. જેથી આ દિવસે અમે યથાયોગ્ય ખરીદી કરી રહ્યા છીએ.