સાવરકુંડલામાં રહેતા એક પ્રૌઢ પાસે ધજડી ગામે રહેતા બાપ-દીકરાએ બળજબરીથી રૂપિયા દેવાના બાકી છે તેવું લખાણ લખાવી લીધું હતું. દિલીપભાઇ ગોરધનભાઇ બકરાણીયા (ઉ.વ.૫૫)એ ધજડી ગામે રહેતા ભીખુભાઇ નાનજીભાઇ રાદડીયા તથા કલ્પેશભાઇ ભીખુભાઇ રાદડીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમણે ભીખુભાઈ રાદડીયા પાસેથી કુલ ૧૩,૦૦૦,૦૦ રૂપિયા ૩% ના દરે વ્યાજે લીધા હતા. કટકે કટકે રૂ.૧૫,૦૦,૦૦૦ ચુકવી આપ્યા હોવા છતા અવારનવાર તેમની દુકાને તથા તેના ઘરે આવી જેમફાવે તેમ બોલી ધમકાવતા હતા. ઉપરાંત બળજબરીથી પૈસાની ઉઘરાણી કરતા હતા. તેમજ બળજબરીથી તેમની પાસે ‘રૂપિયા દેવાના બાકી છે’ તેવું લખાણ કરી સહીઓ કરાવી લીધી હતી.