રાજુલામાં દેવપરા ભેરાઈ ગામના પાટીયા પાસે એક પુરુષ પર પાંચ અજાણ્યા ઇસમોએ હુમલો કર્યો હતો અને કારના કાચ તોડી નાંખ્યા હતા. ઉપરાંત ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે મૂળ અમદાવાદના શીલજ ગામના અને હાલ રાજુલા છતડીયા રોડ પર રહેતા રાજેશ કૃષ્ણદાસએ પાંચ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, અજાણ્યા ઇસમોએ તેમની ફોરવ્હીલ દેવપરા ભેરાઈ ગામના પાટીયા પાસે ઉભી રખાવી હતી. કોઈ મનદુઃખ રાખેલ હોય કે અન્ય કોઈ કોન્ટ્રાકટ રાખવા બાબતનું મનદુઃખ રાખી અજાણ્યા માણસોએ ભેગા મળી તેમની તથા સાહેદ ઉપર હુમલો કરી ફોરવ્હીલ કારના કાચ તોડી રૂ.૩૦,૦૦૦ નું નુકસાન કર્યુ હતું. ઉપરાંત ગાળો બોલીને મારી નાખવાની ધમકી આપી હતી.