મૂળ મહીસાગરના સંતરામપુર તાલુકાનો એક પરિવાર બાબરામાં મજૂરી માટે આવ્યો હતો. આ પરિવારની સગીર પુત્રી અને ૯ મહિનાની બાળકી દુકાને ભાગ લેવા ગઈ તે સમયે અજાણ્યો વ્યક્તિ તેનું અપહરણ કરી ફારર થઈ ગયો હતો. બનાવ સંદર્ભે સગીરાના પિતાએ અજાણ્યા ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની ૧૨ વર્ષની તથા ૯ માસની દીકરીઓ બાબરા મુકામે ભાવનગર રોડ ચોકડી પર આવેલી દુકાને ભાગ લેવા ગઈ હતી. તે વખતે અજાણ્યો ઈસમ અપહરણ કરીને ફરાર થઈ ગયો હતો. બાબરા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.બી. જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.