(એ.આર.એલ),કોલંબો,તા.૧૫
શ્રીલંકાના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર પરિણામો અનુસાર રાષ્ટપતિ અનુરા કુમારા દિસાનાયકેની પાર્ટી ‘નેશનલ પીપલ્સ પાવર’ એ સંસદમાં બહુમતી જીતી લીધી છે. માલિમાવા (કંપાસ) ચિન્હ હેઠળ ચૂંટણી લડનાર દ્ગઁઁએ ૨૨૫ સભ્યોની સંસદમાં ૧૧૩ બેઠકો મેળવી છે, એમ શ્રીલંકાની વેબસાઈટના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર.એનપીપીને ૬૮ લાખ એટલે કે ૬૧ ટકા વોટ મળ્યા છે. મુખ્ય વિપક્ષી દળ સામગી જન બાલાવેગયા અને પૂર્વ રાષ્ટÙપતિ રાનિલ વિક્રમસિંઘે સમર્થિત નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટને અનુક્રમે ૧૧ અને પાંચ ટકા મત મળ્યા હતા.એનપીપીએ દક્ષિણ પ્રાંતની રાજધાની ગાલેમાં ૭૦ ટકાથી વધુ મત સાથે નિર્ણાયક જીત મેળવી હતી.
શ્રીલંકાની વસ્તી ૨૧ મિલિયન છે અને તેના ૧૭ મિલિયનથી વધુ મતદારો છે. સંસદીય ચૂંટણીઓ પાંચ વર્ષની મુદત માટે યોજાય છે. શ્રીલંકામાં ગુરુવારે લગભગ ૬૫ ટકા મતદાન થયું હતું અને હવે પરિણામ પણ આવી ગયા છે. શ્રીલંકાની સંસદમાં ૨૨૫ બેઠકો છે અને બહુમતી માટે ૧૧૩ બેઠકો જીતવી જરૂરી છે. અહીં બે મહિના પહેલા સપ્ટેમ્બરમાં રાષ્ટપતિની ચૂંટણી યોજાઈ હતી.તમને જણાવી દઈએ કે ૨૦૨૨ના આર્થિક સંકટ પછી શ્રીલંકામાં પહેલીવાર સંસદીય ચૂંટણીઓ યોજાઈ રહી છે. ગંભીર આર્થિક મંદીના કારણે તત્કાલિન રાષ્ટÙપતિ ગોટાબાયા રાજપક્ષેને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. આ વખતે ચૂંટણીમાં ૮ હજારથી વધુ ઉમેદવારો મેદાનમાં હતા. સંસદીય ચૂંટણીને રાષ્ટÙપતિ અનુરા કુમારા દિસાનાયકેના શાસક પક્ષ એનપીપી માટે લિટમસ ટેસ્ટ ગણવામાં આવી હતી.