દિલ્હી હાઈકોર્ટે જાહેર હિતની અરજી ફગાવી દીધી છે જેમાં માંગ કરવામાં આવી હતી કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જેલમાંથી સરકાર ચલાવવાની મંજૂરી આપવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે. અરજીમાં દિલ્હીમાં રાષ્ટિપતિ શાસન સાથે જાડાયેલા સમાચારો પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી હતી. કોર્ટે પીઆઈએલને ફગાવી દીધી એટલું જ નહીં પરંતુ તેને દાખલ કરનાર પર ૧ લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો.
શ્રીકાંત પ્રસાદ નામના વકીલે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી. માંગ કરવામાં આવી હતી કે તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે. કેજરીવાલ ધારાસભ્યો અને કેબિનેટ સભ્યો સાથે વાત કરી શકે તે માટે ડીજી જેલને વીડિયો કોન્ફરન્સિગની વ્યવસ્થા કરવા નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી.
એક્તિગ ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પીએસ અરોરાની બેન્ચે અરજી ફગાવી દીધી હતી અને પ્રસાદ પર ૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અરજદારને એઈમ્સના ખાતામાં જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે. કોર્ટે અરજદારને ઠપકો આપ્યો અને અનેક તીખી ટીપ્પણીઓ પણ કરી. અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી છે કે મીડિયાને કેજરીવાલના રાજીનામા અને દિલ્હીમાં રાષ્ટિપતિ શાસન સંબંધિત સમાચારો ચલાવવાથી રોકવામાં આવે. કોર્ટે આના પર ભારે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે ઈમરજન્સી કે સૈન્ય શાસન લાદવું જાઈએ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ૨૧ માર્ચથી જેલમાં છે. કથિત દારૂ કૌભાંડમાં પકડાયેલા કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવવા પર અડગ છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે તેના વડા સીએમ પદ પરથી રાજીનામું નહીં આપે અને જેલમાંથી સરકાર ચલાવતા રહેશે.