દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. છેલ્લા દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ સિવાય, બસપાના તમામ ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો ભર્યા. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયમાં મોડી રાત સુધી ઉમેદવારી પત્રોની ગણતરી ચાલુ રહી. રાત્રે ૧૧ વાગ્યા સુધીમાં, ઉમેદવારી પત્રોની સંખ્યા ૧૪૯૦ પર પહોંચી ગઈ હતી.
ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવું છે કે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. જા કોઈપણ દસ્તાવેજમાં કોઈ વિસંગતતા હશે, તો તેમનું નામાંકન પત્ર રદ કરવામાં આવશે. તે જ સમયે, ઉમેદવારો ૨૦ જાન્યુઆરીએ પોતાના નામ પાછા ખેંચી શકશે. આ પછી, દિલ્હીમાં ચૂંટણી મેદાનમાં ઉતરનારા રાજકીય દિગ્ગજાની સંખ્યા જાણી શકાશે.
અગાઉ, સીઈઓ કાર્યાલયે માહિતી આપી હતી કે ૩૨૦ ઉમેદવારોએ ૫૦૦ ઉમેદવારી પત્રો ભર્યા છે. તે જ સમયે, નામાંકન પ્રક્રિયા શરૂ થયા પછી, ૧૦ જાન્યુઆરીથી ૧૬ જાન્યુઆરી સુધીમાં, કુલ ૫૫૫ ઉમેદવારોએ ૮૪૧ નામાંકન પત્રો દાખલ કર્યા છે. શુક્રવાર મોડી રાત સુધીમાં, ઉમેદવારી પત્રોની સંખ્યા ૧૪૯૦ પર પહોંચી ગઈ હતી.
આ પછી પણ ઉમેદવારી પત્રોની ગણતરી ચાલુ હતી. અધિકારીએ જણાવ્યું હતું કે ૭૦ વિધાનસભા મતવિસ્તારો માટે ૭૦ આરઓ નિયુક્ત કરવામાં આવ્યા છે. દિલ્હીના તમામ ૧૧ જિલ્લા ચૂંટણી કાર્યાલયોમાં સંબંધિત વિધાનસભા મતવિસ્તારોના આરઓ કાર્યાલયોમાં ઉમેદવારોએ તેમના નામાંકન ભર્યા. આ સમયગાળા દરમિયાન, સુરક્ષા અને દેખરેખ માટે ૭૦ આરઓ ઓફિસોમાં કુલ ૩૫૦ સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે.
Home રસધાર રાજકીય રસધાર દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નામાંકન પ્રક્રિયા પૂર્ણ,ઉમેદવારી પત્રોની સંખ્યા ૧૪૯૦ પર પહોંચી ગઈ