દિલ્હીમાં જળ સંકટઃ હરિયાણા નિર્ધારિત ક્વોટા મુજબ પાણી આપી રહ્યા છે,એલજી
(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૧
લેફ્ટનન્ટ ગવર્નર અને દિલ્હી સરકાર ફરી એકવાર રાજધાનીમાં પાણીના મુદ્દે વિવાદમાં છે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આરોપ લગાવ્યો કે છેલ્લા કેટલાક દિવસોથી પાણીને લઈને દિલ્હી સરકારનું બેજવાબદાર વલણ જાવા મળી રહ્યું છે. મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને યુવાનો પોતાનો જીવ જાખમમાં મુકીને પાણીની ડોલ માટે ટેન્કર પાછળ દોડતા જાવા મળે છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું દિલ્હીમાં ૨૪ કલાક પાણી પુરવઠાનું વચન અત્યાર સુધી પોકળ સાબિત થયું છે.સક્સેનાએ કહ્યું કે તેમને કહેવામાં આવ્યું છે કે હરિયાણા અને ઉત્તર પ્રદેશ સતત દિલ્હીને તેમના નિયત પાણીનો કોટા આપી રહ્યા છે. આ હોવા છતાં, દિલ્હીમાં પાણીની તંગીનું સૌથી મોટું કારણ એ છે કે જેનું ઉત્પાદન થઈ રહ્યું છે તેમાંથી ૫૪ ટકા પાણી બિનહિસાબી રહે છે. જૂની અને જર્જરિત પાઈપ લાઈનોને કારણે સપ્લાય દરમિયાન ૪૦ ટકા પાણી વેડફાય છે.તેમણે કહ્યું કે દિલ્હી સરકાર દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં હજારો કરોડ રૂપિયા ખર્ચવા છતાં જૂની પાઈપ લાઈનો ન તો રિપેર થઈ શકી કે ન બદલી શકાઈ. આવી સ્થતિમાં, પૂરતી નવી પાઇપલાઇન નાખવામાં આવી ન હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે હદ તો એ છે કે ટેન્કર માફિયાઓ દ્વારા આ પાણીની ચોરી કરીને ગરીબ લોકોને વેચવામાં આવે છે..