દામનગર ખોડલધામ પ્રેરિત લેઉવા પટેલ સમાજ આયોજિત
તૃતીય સમૂહ લગ્નોત્સવ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં સંપન્ન થયો હતો. સ્વામિનારાયણ ગુરુકુળ પરિસરમાં પૂજ્ય સંતોની પાવન નિશ્રામાં ૨૦ નવદંપતીઓને આદર્શ દાંપત્ય જીવનનાં આશિષ આપવામાં આવ્યા હતા. સમસ્ત લેઉવા પટેલ સમાજને નરેશભાઈ પટેલે સંદેશો આપ્યો હતો કે, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે સમાજનું અભૂતપૂર્વ યોગદાન, સેવા, સમર્પણ અને સંગઠન ખુબ જ જરૂરી છે. નરેશભાઈ પટેલના આગમન સમયે ખોડલધામ મહિલા સમિતિની બહેનોએ પુષ્પવર્ષાથી તેમનુ સ્વાગત કર્યુ હતું. સ્વામિનારાયણ ગુરુકુળ સંતો કોઠારી સ્વામી ચંદ્રપ્રકાશજી શાસ્ત્રી, સ્વામી આનંદસ્વરૂપદાસજી, નકલંગ ધામ બાલકદાસજી, ભટવદર ખોડિયાર મંદિરનાં મહંત હરજી ભગત, સરદાર પ્રેમી ગોપાલભાઈ વસ્તરપરા, પ્રવીણભાઈ ખેની, સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ટીંબીનાં બી.એલ. રાજપરા, વસંતભાઈ મોવલિયા, સુરેશભાઈ દેસાઈ, રમેશભાઈ કાથરોટિયા, ભરતભાઈ માંગુકિયા, મનુભાઈ દેસાઈ, દિનેશભાઈ ભુવા, અમરશીભાઈ શંભુભાઈ નારોલા, ભીમજીભાઈ કળથીયા, ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, છગનભાઈ સિમેડીયા, પરેશભાઈ નારોલા, હરેશભાઈ વાવડીયા, વિનુભાઈ ભાતિયા, લાઠી ખોડલધામ સમિતિ અશોકભાઈ ભાદાણી, પિયુષભાઈ ધાનાણી, ગોબરભાઈ નારોલા, મનસુખભાઈ નારોલા, જયંતિભાઈ નારોલા, ગોરધનભાઈ આસોદરિયા, અમરશીભાઈ નારોલા, ધીરુભાઈ નારોલા સહિત સમગ્ર અમરેલી જિલ્લાનાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી ખોડલધામ સમિતિના હોદ્દેદારો, ખોડલધામ મહિલા સમિતિની ઉત્તમોત્તમ વ્યવસ્થાથી સુંદર આયોજન થયુ હતું. નવદંપતીઓને સરદાર પ્રેમી ગોપાલભાઈ વસ્તપરાએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આપી સંયુક્ત કુટુંબ ભાવનાની શીખ આપી હતી. ગદગદીત કરતી માનવ-મેદની વચ્ચે વૈદિક મંત્રોચારના ધ્વનિ સાથે સપ્તપદીની દીક્ષા દેતા ૨૦ નવદંપતીઓને ભવ્ય અને દિવ્ય કરિયાવર સાથે આદર્શ દાંપત્ય જીવન જીવવાની શીખ આપવામાં આવી હતી. સમૂહલગ્નને સફળ બનાવવા સમસ્ત ખોડલધામ સમિતિ દામનગરની ટીમ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. લગ્નોત્સવમાં આવનાર દરેક દાતા,અગ્રણીઓનું અદકેરૂં સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વયંસેવકોની જહેમતથી સમૂહ લગ્નોત્સવ સફળ બન્યો હતો.