દામનગર શહેરમાં રખડતા પશુઓની સમસ્યા દિન-પ્રતિદિન વિકટ બનતી જાય છે. વિકાસના નામે થતી વાતો વચ્ચે આ સમસ્યા પ્રત્યે સંપૂર્ણ બેદરકારી જોવા મળી રહી છે. શહેરના મુખ્ય માર્ગો પર પશુઓ અડિંગો જમાવીને બેસી રહેતા હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ માટે મોટું જોખમ ઊભું થયું છે.
છેલ્લા કેટલાક સમયથી આ રખડતા પશુઓના હુમલાના બનાવો વધી રહ્યા છે અને દર એક-બે દિવસે કોઈને કોઈ વ્યક્તિ આવા પશુઓના હુમલાનો ભોગ બની મૃત્યુ પામે છે.
આ ગંભીર સમસ્યા છતાં નક્કર નિયમો અને કાયદાના અભાવે યોગ્ય અમલીકરણ થઈ શકતું નથી. સ્થાનિક રહીશોની માગણી છે કે સત્તાધીશો આ સમસ્યાને ગંભીરતાથી લે અને યોગ્ય વ્યવસ્થા ગોઠવે જેથી લોકો નિર્ભયપણે હરીફરી શકે.