ગત ચોમાસામાં દામનગર પંથકમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં વરસાદ થયેલ હોવાથી વિવિધ તળાવ ખાલી હતા. સ્વામિનારાયણ ગુરુકુળની સામે બનાવાયેલું શ્રી સહજાનંદ સરોવર ગત સોમવાર સુધી ખાલીખમ હતું, જે ગત બે દિવસમાં કમોસમી વરસાદથી છલકાતાં વાતાવરણ આહલાદક બની ગયું છે.