રાજય સરકારશ્રી દ્વ્રારા નાગરિકોના પ્રશ્નોને હલ કરવા પ્રજાની લાગણી- માગણી- અપેક્ષાઓ પરીપૂર્ણ કરવા માટે દસમા તબકકાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ નગરપાલિકા દ્વારા તા. ૫.૧૦.૨૦૨૪, શનિવાર ના રોજ ટાઉનહોલ, થાનગઢ, સુરેન્દ્રનગર ખાતે સવારે ૯ઃ૦૦ થી સાંજે ૫ઃ૦૦ કલાક સુધી સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં આસપાસના ૦૪ વોર્ડમાં સમાવિષ્ટ નાગરિકો લાભ મેળવી શકશે.
આ સેવા સેતુ કાર્યક્રમમાં આવક/જાતિના દાખલા, રેશનકાર્ડમાં નામ દાખલ, નામ કમી, નામ સુધારો તથા ઇ કેવાયસીની કામગીરી, આઘારકાર્ડને લગતી કામગીરી, પીએમજેએવાયમાં અરજી, મફત હેલ્થ ચેકઅપ, કૃષિ, પંચાયત, પશુપાલન, સમાજકલ્યાણ, અને આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ, બસ કન્સેશન પાસ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃધ્ધ-વય વંદના-સંકટ મોચન સહાય યોજના, નવીન વારસાઇ અરજીઓ તથા વિનામૂલ્યે ૭/૧૨,૮-અ ની નકલ, જન્મ-મરણ પ્રમાણપત્ર, લગ્ન નોંઘણી અને મિલ્કત આકારણીના ઉતારા, પી.એમ.સમ્માનનિધી લાભાર્થીનું ઈ કેવાયસી, ઘરેલુ નવા વીજ જાડાણ, બેંકીંગને લગતી સેવાઓ સહીત જુદા જુદા ૧૩ જેટલા વિભાગોની જનકલ્યાણકારી એવી ૫૫ જેટલી સેવાઓના લાભો ઘરઆંગણે મેળવી શકશે.