તુલસીશ્યામ ખાતે તુલસીશ્યામ ટ્રસ્ટ દ્વારા ભવ્ય અન્નકૂટ મહોત્સવ દેવ દિવાળીના દિવસે વર્ષોથી ઉજવવામાં આવે છે. શ્યામના અન્નકૂટ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે અને પ્રથમ સવારમાં ગરમકુંડમાં સ્નાન કરી આરતીનો લાભ લઈ અને શ્યામને સુંદર નવા વાઘાથી કપડા પહેરાવી શણગારવામાં આવે છે. અન્નકૂટમાં ૧૫૧ જેટલી જુદી જુદી મીઠાઈની વાનગીઓ, ફ્રુટની વાનગીઓ તેમજ મુખવાસ ભગવાનના ચરણોમાં ધરવામાં આવે છે. બપોરે ભગવાનને અન્નકૂટનો મહાપ્રસાદનો અલગ એક થાળ પણ ધરવામાં આવે છે.