તાલાળા તાલુકાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન મળે તે માટે ધાવા ગામે ખેડૂત સભા યોજાઈ હતી. જેમાં તજજ્ઞો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાસાયણિક ખેતીના વધુ પડતા વપરાશના કારણે ખેતીની જમીન દિન પ્રતિદિન ઝેરી બની રહી છે અને લોકો અનેક રોગોના ભોગ બની રહ્યા છે. આ વિસ્તારમાં બાગાયત પાક સતત નિષ્ફળ જઈ રહ્યો છે. ખેતીમાં ગુણવત્તાયુક્ત અને આરોગ્યને લાભદાયી ખેત ઉત્પાદન વધે તે માટે
પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખાતરનો વપરાશ વધે તે માટે ગોલ્ડન રૂટ્‌સ ફાર્મ હાઉસ માધુપુર રોડ ધાવા ખાતે ખેડૂતોને માર્ગદર્શન માટે ખેડૂત સભા રાખવામાં આવી હતી. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા નવા લોન્ચ થયેલા જૈવિક ખાતર ભૂ વેધમના ઉત્પાદક તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.