તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં સમૈયાપુરમ મરિયમ્મન મંદિરમાં એક મોટો અકસ્માત થયો છે. છતનો એક ભાગ તૂટી પડતાં એક ભક્તનું મોત અને બે અન્ય ઘાયલ થયા છે. આ ઘટના સન્નાથી સ્ટ્રીટ મંડપમમાં બની હતી, જ્યાં દર્શન માટે સમૈયાપુરમ આવેલા ભક્તો સૂઈ રહ્યા હતા.
ત્રિચી જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર, તંજાવુર જિલ્લાની રહેવાસી ૩૨ વર્ષીય નાદિયાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય બેને નજીકના ભક્તોએ બચાવી લીધા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની મદદથી મહાત્મા ગાંધી મેમોરિયલ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ૨૩ એપ્રિલે મતદાન થશે અને ૪ મેના રોજ મતગણતરી થશે. તમિલનાડુની તમામ ૨૩૪ વિધાનસભા બેઠકો પર સત્તા માટેનો જંગ શરૂ થઈ ગયો છે. આવી સ્થિતિમાં, આવા અકસ્માતો વિપક્ષ માટે શાસક પક્ષને ઘેરવા માટે એક હથિયાર છે.
અગાઉ, તમિલનાડુના તંજાવુરમાં પણ એક દુઃખદ અકસ્માત નોંધાયો હતો. ત્યાં ૧૦ વર્ષની બાળકીનું મોત થયું હતું. તિરુવૈયારુ નજીક મંદિર ઉત્સવ દરમિયાન ૧૦ વર્ષની વિદ્યાર્થીનીનું મોત થયું હતું.મૃતક છોકરી પાંચમા ધોરણની વિદ્યાર્થીની હતી અને કાર્ગો ઓટોમાં મંદિર જઈ રહી હતી. તે જનરેટર એન્જિન પાસે બેઠી હતી ત્યારે અચાનક તેના વાળ જનરેટરમાં ફસાઈ ગયા, જેના કારણે તેના માથામાં ગંભીર ઈજા થઈ અને તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ.
તેણીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને ત્યારબાદ તંજાવુરની મોટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી. જાકે, છોકરીને બચાવી શકાઈ નહીં અને તેનું મૃત્યુ થયું.