ખાંભા ગામે તમારા દીકરાને કહેજા કે મારા મકાનની અગાસી પર આંટાફેરા ન કરે તેમ કહેતા લાકડીના ઘા મારવામાં આવ્યા હતા. બનાવ અંગે છોટુભાઈ બાબુભાઈ કામળીયા (ઉ.વ.૫૨)એ મીલનભાઈ સુરેશભાઈ સાવલીયા તથા સુરેશભાઈ સાવલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના મકાનની અગાસી ઉપર ગઇકાલે રાત્રે યુવક આંટાફેરા કરતો હતો. જેથી તેમણે રાત્રે સમજાવેલ કે મારા મકાનની અગાસીએ આવતો નહીં. બીજા દિવસે તેમની દુકાને જઇ ઠપકો આપ્યો હતો કે તમારા દીકરા મીલનને સમજાવજો કે મારા મકાનની અગાસી ઉપર આંટાફેરા ન કરે. તે દરમિયાન મીલનને સારૂં નહીં લાગતા ઉશ્કેરાઇ દુકાનમાંથી લાકડી લઇ જમણા હાથના કાંડે લાકડીનો એક ઘા માર્યો હતો. ઉપરાંત લાકડીના બે ઘા પીઠ પાછળ વાંસાના ભાગે મારી દઇ જમણા હાથના કાંડે ફ્રેક્ચર લાવી તથા વાંસાના ભાગે ઇજા કરી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.કે. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.