ચોમાસાની એન્ટ્રી સાથે જ દેશમાં ભયંકર ચક્રવાતી તોફાનની પણ દસ્તક થઈ રહી છે.

ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ગાજવીજ અને ભારે પવનની આગાહી છે. ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ સક્રિય છે. અપર એર સાયક્લોનિક સર્ક્‌યુલેશન સક્રિય થયું હોવાથી વરસાદની સંભાવના છે. અમદાવાદમાં તાપમાન ૪૦ ડિગ્રી આસપાસ રહે અને વાદળ છાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં તાપમાનમાં વધુ ફેરફાર નહીં જાવા મળે છે.
ચોમાસાની એન્ટ્રી સાથે જ દેશમાં ભયંકર ચક્રવાતી તોફાનની પણ દસ્તક થઈ રહી છે. જે બંગાળની ખાડી ઉપર બની રહ્યું છે અને આંદમાન સાગરથી થઈને કેરળમાં મોનસૂન સાથે એન્ટ્રી કરી શકે છે. આ તોફાનને શક્તિ નામ આપવામાં આવ્યું છે અને જા ચક્રવાતી તોફાન સંપૂર્ણ રીતે એકટીવ થઈને આગળ વધ્યું તો તે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં સમુદ્ર કાંટાઓ સાથે ટકરાઈ શકે છે.
આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત સમુદ્રમાં વાવાઝોડાથી શરૂ થશે. આગામી ૨૪ ૨૫ મે દરમિયાન કેરળ પાસે આવવાનું હળવું દબાણ સર્જાશે અને ત્યારબાદ તે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને સાયક્લોનિક સર્ક્‌યુલેશન થઈ આગળ વધશે, ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ જાવા મળશે. ખેડૂત મિત્રોએ ઉનાળુ પાકનું વાવેતર કરેલ હોય તે ત્વરિત પાક લેવા સૂચના આપવામાં આવેલ છે.
ચક્રવાતી તોફાન શક્તિથી ઓડિશા અને પશ્ચિમ બંગાળની સાથે સાથે બાંગ્લાદેશના ખુલના અને ચટગાંવને પણ જાખમ રહેશે.રિપોર્ટ મુજબ બાંગ્લાદેશના હવામાન વૈજ્ઞાનિક મુસ્તફા કમાલ પલાશે એક પોસ્ટમાં ચક્રવાતી તોફાન વિશે જણાવ્યું છે. જ્યારે ટીઓઆઇના રિપોર્ટ મુજબ આંદમાન સાગર ઉપર ૧૭થી ૧૮ મે વચ્ચે એક સાઈક્લોનિક સર્ક્‌યુલેશન બનશે જે ૨૨ મે સુધીમાં ઓછા દબાણવાળા ક્ષેત્રમાં ફેરવાઈ શકે છે.
આ સિસ્ટમ ૨૩થી ૨૮ મે વચ્ચે સાઈક્લોન શક્તિને એકટીવ કરી શકે છે. જા કે હજુ સુધી ચક્રવાતી તોફાનના રસ્તા અને સ્પીડ વિશે માહિતી મળી શકી નથી. પરંતુ તોફાન એકટીવ થાય એવી સંભાવના વ્યક્ત કરાઈ છે. જા કે આઈએમડીએ હજુ સુધી ચક્રવાત બનવાની પુષ્ટિ કરી નથી. એ પણ અનુમાન લગાવવું હાલ મુશ્કેલ છે કે આ સિસ્ટમ ખરેખર સાઈક્લોન એટલે કે ચક્રવાતમાં ફેરવાશે કે નહીં. આ બધા વચ્ચે ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ૨૭મી મેના રોજ કેરળ પહોંચે તેવી શક્યતા છે. જે સામાન્ય રીતે એક જૂનના રોજ આવે છે.
ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલે જા કે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં સાયકલોન સર્જાશે. જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. વિધિવત રીતે ગુજરાતમાં ૧૫ જુન ની આસપાસ ચોમાસાનો પ્રારંભ થશે. જાકે અરબી સમુદ્રમાં સર્જાતું સાયકલોન અસર કરશે તો ચોમાસુ મોડું પણ થવાની સંભાવના છે. ગુજરાતમાં ૨૦ મેથી ૨૪ મે સુધી સાયકલોનની અસરો જાવા મળશે. આ અસરને કારણે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ પડી શકે છે જયારે વલસાડ, બોટાદ અને દાહોદમાં પડ્યો વરસાદ પડયો છે. અરવલ્લી અને બનાસકાંઠામાં પણ વરસાદ પડ્યો. આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
ભારતીય હવામાન વિભાગે આંદમાન સાગર પર એક સાઈક્લોનિક સર્ક્‌યુલેશન જાયું છે, જે ૧૭થી ૨૨ મે વચ્ચે હળવા દબાણવાળા ક્ષેત્રમાં વિક્સિંત થઈ શકે છે. આ સિસ્ટમ ૨૩થી ૨૮ મે સુધી ચક્રવાત શક્તિ તરીકે એકટીવ થઈ શકે છે. જે સંભવિત રીતે ભારતમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારોની સાથે સાથે બાંગ્લાદેશમાં ખુલના અને ચટગાંવને પ્રભાવિત કરી શકે છે.
દક્ષિણ પશ્ચિમ મોનસુન ૧૩ મે ૨૦૨૫ સુધી દક્ષિણ બંગાળની ખાડી, દક્ષિણ આંદમાન સાગર, નિકોબાર ટાપુઓ અને ઉત્તરી આંદમાન સાગરના કેટલાક ભાગોમાં એન્ટ્રી કરી ચૂક્્યું છે. છેલ્લા ૭ વર્ષમાં પહેલીવાર ચોમાસુ સમય કરતા વહેલુ બંગાળની ખાડીમાં પહોંચ્યું છે. ચક્રવાત શક્તિના એકટીવ થવાથી કાંઠા વિસ્તારમાં પૂર, તોફાની પવન, અને ખુબ વરસાદ પડી શકે છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, પૂર્વ રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ જેવા વિસ્તારોમાં મેના મધ્ય સુધી ગાજવીજ અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ
આભાર – નિહારીકા રવિયા વરસાદની વકી છે. કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને છત્તીસગઢ સહિત દક્ષિણઈ અને મધ્ય રાજ્યોમાં પણ પ્રી મોનસૂન વરસાદ પડી શકે છે.