(એ.આર.એલ),બેઇજિંગ,તા.૧૮
ચીને ઈટાલીમાં યોજાયેલી જી૭ સમિટની ટીકા કરી હતી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને જી ૭ દેશો પર ડ્રેગન (ચીન) ને બદનામ કરવા માટે ચીન સંબંધિત મુદ્દાઓનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો. લિન જિયાને ય્૭ સમિટમાં ચીનના નિવેદનને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી.લિન જિયાને કહ્યું, જી ૭ સમિટમાં નેતાઓએ ડ્રેગનની નિંદા કરવા અને હુમલો કરવા માટે ચીન-સંબંધિત મુદ્દાઓનો ઉપયોગ કર્યો હતો. એ જ ખોટા આરોપોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનો કોઈ આધાર નથી. તે માત્ર જૂઠાણાંથી ભરેલા છે. છે.” તેમણે જી ૭ની ટીકા કરતા કહ્યું કે, “તે વિશ્વનું પ્રતિનિધિત્વ કરતું નથી. આ સાત દેશો વિશ્વની વસ્તીના માત્ર ૧૦ ટકા છે. એકસાથે લેવામાં આવે તો પણ તેઓ વૈશ્વક આર્થિક વૃદ્ધિમાં ચીન કરતાં ઓછું યોગદાન આપે છે.”ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુસાર,જી ૭ લાંબા સમયથી પોતાના લક્ષ્યથી ભટકી ગયું છે. તે અમેરિકા અને પશ્ચિમી દેશોનું વર્ચસ્વ જાળવી રાખવાનું રાજકીય સાધન બની ગયું છે. તે તેના નિયમો અને નિર્ણયોને સંયુક્ત રાષ્ટÙ ચાર્ટરના આંતરરાષ્ટય કાયદાના હેતુઓ અને સિદ્ધાંતોથી ઉપર રાખે છે. લિન જિયાને જી-૭ પર લશ્કરી દાવપેચ અને પ્રાદેશિક હસ્તક્ષેપ દ્વારા તણાવ વધારવાનો આરોપ મૂક્યો હતો. વિશેષ જૂથો બનાવીને વિવિધ જૂથોને ઉશ્કેરે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ પ્રકારની ક્રિયાઓ આંતરરાષ્ટય વ્યવસ્થાને નબળી પાડે છે.જી ૭ સમિટમાં નેતાઓએ ઈન્ડો-પેસિફિક પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાઓ પર ભાર મૂક્યો હતો. સમિટના નિવેદનમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે તેઓ ચીનને નુકસાન પહોંચાડવાનો અને તેના આર્થિક વિકાસને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા નથી. તમને જણાવી દઈએ કે જી ૭ સાત દેશોનો બનેલો છે, જેમાં અમેરિકા, યુકે, કેનેડા, જર્મની, ઈટાલી, જાપાન અને ફ્રાન્સનો સમાવેશ થાય છે. ભારતના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઇટાલીમાં યોજાયેલી જી ૭ સમિટ માટે આમંત્રણ આપ્યું હતું. આ કોન્ફરન્સ ૧૩ થી ૧૫ જૂન દરમિયાન ઈટાલીના અપુલિયામાં યોજાઈ હતી.