કોડીનાર તાલુકાનાં ડોળાસા ગામે આવેલા જલારામ મંદિર ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે કૃષ્ણજન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ મંદિરને શણગાર કરવામાં આવ્યો હતો. રાત્રીનાં મહિલાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. રાત્રે ૧ર કલાકે કૃષ્ણજન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો.