યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના ગુસ્સાનો જવાબ આપતા કહ્યું કે સંયમ રાખવો જાઈએ અને પોતાના મનનો ઉપયોગ કરવો જાઈએ. ટ્રમ્પે ઇઝરાયલને હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામ માટે સંમત થવા વિનંતી કરી છે અને કહ્યું છે કે તેમણે વ્યક્તિગત રીતે ઇઝરાયલને હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામ માટે સંમત થવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે લેબનોનમાં વધતી હિંસાએ ઈરાન સાથે નાજુક શાંતિ પ્રક્રિયા સંબંધિત વ્યાપક રાજદ્વારી પ્રયાસોને પાટા પરથી ઉતારવાની ધમકી આપી ત્યારે તેમણે હસ્તક્ષેપ કર્યો હતો.
ટ્રમ્પે કહ્યું કે તેમણે ઇઝરાયલી અધિકારીઓ સાથે વાત કરી અને સંયમ રાખવાની વિનંતી કરી. તેમણે દલીલ કરી કે લડાઈ ચાલુ રાખવાથી વ્યાપક પ્રાદેશિક કરારને નુકસાન થવાનું જાખમ રહેલું છે. ઠ પર ઇન્ટરવ્યુ પોસ્ટ કરનાર દ્ગમ્ઝ્ર ન્યૂઝના રિપોર્ટરના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે કહ્યું, “કેટલીકવાર તમારે ફક્ત શાંત રહેવાની અને તમારા મગજનો ઉપયોગ કરવાની જરૂર છે.” ટ્રમ્પે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે સીધી વાત કરી કે નહીં તે કહેવાનો ઇનકાર કર્યો.
એક વરિષ્ઠ યુએસ અધિકારીએ જણાવ્યું હતું કે ઇઝરાયલ અને લેબનોન વચ્ચે ગોળીબારની આપ-લે પછી સ્થાનિક સમય મુજબ સાંજે ૪ વાગ્યે લેબનોનમાં યુદ્ધવિરામ અમલમાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે ઇરાનની મદદથી યુએસ અને કતારી વાટાઘાટકારોએ કરારમાં મધ્યસ્થી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
બે હિઝબુલ્લાહ સ્ત્રોતો અને એક વરિષ્ઠ ઇઝરાયલી અધિકારીએ મીડિયાને યુદ્ધવિરામની પુષ્ટિ કરી. ઇઝરાયલી અધિકારીએ કહ્યું, “જા હિઝબુલ્લાહ અમારા પર હુમલો નહીં કરે, તો આ અમારા માટે યુદ્ધનો સમય નથી.” તેમણે એમ પણ કહ્યું કે ઇઝરાયલી દળો દક્ષિણ લેબનોનમાં તૈનાત રહેશે. લેબનીઝ સુરક્ષા સૂત્રોએ અહેવાલ આપ્યો છે કે યુદ્ધવિરામના પહેલા કલાકમાં ઇઝરાયલે અનેક હવાઈ હુમલા કર્યા હતા, જાકે સાંજે ૫ વાગ્યા પછી કોઈ હુમલાના અહેવાલ મળ્યા નથી.
લેબનોનમાં હિંસા ફાટી નીકળવાના કારણે સ્વિટઝર્લૅન્ડમાં યુએસ-ઈરાન વાટાઘાટો મુલતવી રાખવાની ફરજ પડી હતી. ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને હોર્મુઝ સ્ટ્રેટના ભવિષ્ય પર વાટાઘાટો આગળ વધારવા માટે આ વાટાઘાટો મહત્વપૂર્ણ માનવામાં આવી હતી. આ અઠવાડિયાની શરૂઆતમાં થયેલા વચગાળાના કરાર હેઠળ, વોશિંગ્ટન અને તેહરાને ઈરાનની પરમાણુ પ્રવૃત્તિઓ, પ્રતિબંધોમાં રાહત અને પ્રાદેશિક સુરક્ષા મુદ્દાઓને આવરી લેતા વ્યાપક કરાર પર વાટાઘાટો કરવા માટે પોતાને ૬૦ દિવસનો સમય આપ્યો છે.
હિઝબુલ્લાહના સાંસદ હસન ફદલ્લાહએ જણાવ્યું હતું કે ઈરાને સ્પષ્ટ કર્યું છે કે આગળની વાટાઘાટો લેબનોનમાં સંપૂર્ણ યુદ્ધવિરામ પર આધારિત રહેશે. ઈરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ પણ ચેતવણી આપી હતી કે વોશિંગ્ટન કરાર હેઠળ તેની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરવા માટે જવાબદાર રહેશે.