ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટનાં વિધાર્થી દર્શન પરમારની અનોખી સિદ્ધિ
ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બાળકોને નિઃશુલ્ક ટ્યૂશન કલાસ કરાવે છે. આ બાળકોમાંથી એક વિદ્યાર્થી દર્શને અનોખી સિદ્ધી મેળવી છે. દર્શન પરમાર નામના વિદ્યાર્થીએ ધોરણ ૧૦ની પરીક્ષામાં ૪૫ ટકા માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. દર્શન પરમાર એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી આવે છે. તેના ઘરની પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે તે કયારેક શાળાએ જઈ શકે તો કયારેક શાળાએ જઈ શકતો નહી. ત્યારે ટ્રસ્ટને ખબર પડી કે દર્શન ભણવામાં તેજસ્વી બાળક છે. એના ઉજ્વળ ભવિષ્ય માટે એને ભણતરનું મહત્વ સમજાવ્યું. ટ્રસ્ટનો વિશ્વાસ અને મહેનત રંગ લાવ્યા તેનું ટ્રસ્ટને ભારોભાર ગૌરવ છે.