હરિયાણામાં જીત બાદ ભારતીય જનતા પાર્ટીની નજર ઝારખંડ પર છે, જ્યાં ભાજપ છેલ્લા ૫ વર્ષથી સત્તાથી દૂર છે. ઝારખંડમાં સત્તા પર પાછા ફરવા માટે ભાજપે અનેક રણનીતિઓ પર સાથે મળીને કામ કરવાનું શરૂ કર્યું છે. જેમાં પરિવર્તન યાત્રા અને અલગ અલગ મેનિફેસ્ટો જારી કરવાનો સમાવેશ થાય છે. જા કે પાર્ટી માટે ઝારખંડનો રસ્તો સરળ નથી.આદિવાસી પ્રભુત્વ ધરાવતા આ રાજ્યમાં ભાજપ પાસેથી મૂળ વોટ પહેલા જ ખોવાઈ ગયા છે, તેને પરત લાવવો પાર્ટી માટે મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે.
ઝારખંડ આદિવાસી પ્રભુત્વ ધરાવતું રાજ્ય છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ અહીં આદિવાસી વસ્તી લગભગ ૨૬ ટકા છે. રાજ્યના ૫માંથી ૪ વિભાગોમાં આદિવાસી લોકોનું વર્ચસ્વ છે. ઝારખંડમાં ૮૧માંથી ૨૮ વિધાનસભા બેઠકો આદિવાસીઓ માટે અનામત છે. તેવી જ રીતે લોકસભાની ૧૪માંથી ૫ બેઠકો પણ આદિવાસીઓ માટે અનામત છે.
એકંદરે, ઝારખંડમાં સત્તાની ચાવી આદિવાસીઓ પાસે છે. અહીં, ૨૦૦૫ થી દરેક ચૂંટણીમાં આદિવાસીઓનો મુદ્દો રહ્યો છે. ઝારખંડમાં અત્યાર સુધી બાબુ લાલ મરાંડી, અર્જુન મુંડા, શિબુ સોરેન, મધુ કોડા, હેમંત સોરેન, ચંપાઈ સોરેન અને રઘુબર દાસ મુખ્યમંત્રી બની ચૂક્યા છે. રઘુબર દાસ સિવાય બાકીના તમામ ૬ મુખ્યમંત્રી આદિવાસી સમુદાયના છે. રસપ્રદ વાત એ છે કે આમાંથી ચાર પૂર્વ સીએમ અર્જુન મુંડા, બાબુ લાલ મરાંડી, ચંપાઈ સોરેન અને મધુ કોડા હાલમાં ભાજપમાં છે.
જ્યારે ઝારખંડ રાજ્યની રચના થઈ ત્યારે ૨૦૦૦માં પહેલીવાર વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી. ભાજપે આદિવાસી પ્રભુત્વવાળી ૨૮માંથી ૧૧ બેઠકો જીતી હતી. આ જીતને કારણે પાર્ટી ઝારખંડમાં સરકાર બનાવવામાં સફળ રહી હતી. બાબુ લાલ મરાંડીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.૨૦૦૫ની વિધાનસભા ચૂંટણીમાં આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પાર્ટીને ૨૮માંથી માત્ર ૫ બેઠકો મળી હતી. મહાગઠબંધનના સમર્થનથી ભાજપ કોઈક રીતે સરકાર બનાવવામાં સફળ રહ્યો. ૨૦૦૯માં ભાજપે ૯ આદિવાસી પ્રભુત્વવાળી બેઠકો જીતી હતી.
૨૦૧૪ની ચૂંટણીમાં, ભાજપે જારદાર પુનરાગમન કર્યું અને ફરીથી ૨૮ આદિવાસી પ્રભુત્વવાળી બેઠકોમાંથી ૧૧ બેઠકો જીતવામાં સફળ રહી. આ વખતે ભાજપે ઝારખંડમાં બિન-આદિવાસી મુખ્યમંત્રી બનાવવાનો પ્રયોગ કર્યો. ઓબીસી સમુદાયના રઘુબર દાસને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપ માટે આનો પલટવાર થયો. ભાજપ માત્ર ૨ સીટો જીતી શકી હતી. હેમંત સોરેનની પાર્ટી ઝારખંડ મુકતી મોરચાએ આદિવાસી વિસ્તારોમાં એકતરફી જીત મેળવી હતી. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પણ, ઈન્ડીયા એલાયન્સે આદિવાસીઓ માટે આરક્ષિત ૫ લોકસભા બેઠકો જીતી હતી.
ઝારખંડમાં મુસ્લીમોની વસ્તી લગભગ ૧૪ ટકા છે, જેઓ સામાન્ય રીતે ભાજપને મત આપતા નથી. આદિવાસીઓ સાથે મુસ્લીમોના ભળવાના કારણે બંને વચ્ચેનું જાડાણ ૪૦ ટકાની નજીક પહોંચે છે. સંથાલ પરગણા અને કોલ્હાનમાં આદિવાસીઓની સાથે મુસ્લીમોનું પણ વર્ચસ્વ છે.૨૦૧૯ની ચૂંટણીમાં બંને વિસ્તારોમાંથી ભાજપનો સફાયો થયો હતો. આ વખતે ભાજપ આ ગઠબંધન તોડવાની કોશિશ કરી રહ્યું છે.
જ્યાં એક તરફ ભાજપ ઝારખંડ મુકતી મોરચા અને કોંગ્રેસ ગઠબંધનની આદિવાસી-મુÂસ્લમ વોટબેંકમાં ખાડો પાડવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ પાર્ટી સ્થાનિક સ્તરે આદિવાસી નેતાઓને પણ એકત્ર કરી રહી છે. ૨૦૧૯ થી, બીજેપીએ બીજા પક્ષમાંથી બાબુ લાલ મરાંડી, ચંપાઈ સોરેન, લોબીન હેમબ્રમ, સીતા સોરેન, મધુ કોડા અને ગીતા કોડાને તેના ફોલ્ડમાં લાવવાનું કામ કર્યું છે.ભાજપને આશા છે કે આ નેતાઓ થકી તે આવનારી ચૂંટણીમાં આદિવાસી બેઠકો જીતવામાં સફળ રહેશે. ચંપાઈ સોરેન, બાબુ લાલ મરાંડી અને મધુ કોડા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
નવેમ્બર-ડિસેમ્બરમાં ઝારખંડ વિધાનસભાની ૮૧ બેઠકો પર વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. અહીં મુખ્ય સ્પર્ધા ભાજપ,એજેએસયુ અને જદયુ ગઠબંધન સાથે કોંગ્રેસ,જેએમએમ અને રાજદ ગઠબંધન વચ્ચે છે. ઝારખંડમાં આ બે ગઠબંધન ઉપરાંત,જેકેએલએમ જેવી પાર્ટીઓ પણ મેદાનમાં ઉતરી છે, જે હરીફાઈને ત્રિકોણીય બનાવવાનો પ્રયાસ કરી રહી છે.હાલમાં તમામ પક્ષો દ્વારા ઝારખંડમાં ચુંટણી પ્રચારની કામગીરી અને જીતની સંભાવનાઓને લઇને મંથન કરી રહ્યાં છે ઝારખંડમાં સરકાર બનાવવા માટે ૪૧ ધારાસભ્યોની જરૂર છે. ૨૦૧૯માં જેએમએમ અને કોંગ્રેસના ગઠબંધનને ૪૭ બેઠકો મળી હતી. ભાજપ માત્ર ૨૫ બેઠકો સુધી મર્યાદિત રહી હતી.