પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે પાડોશી દેશમાં હિંસક સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને નેપાળની સરહદે આવેલા ઉત્તરીય જિલ્લાઓના લોકોને શાંતિ જાળવવા વિનંતી કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે જો આપણો પડોશી સારો હશે, તો આપણે પણ સારા રહીશું.મંગળવારે બીજા દિવસે પણ નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યા. પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું છે. ઘણા નેતાઓના નિવાસસ્થાનોમાં તોડફોડ કરવામાં આવી છે અને તેમના પર હુમલો પણ કરવામાં આવ્યો છે.ઉત્તર બંગાળના વહીવટી પ્રવાસ માટે રવાના થતા પહેલા, સીએમ બેનર્જીએ કોલકાતા એરપોર્ટ પર કહ્યું, ‘અમે નેપાળ, શ્રીલંકા અને બાંગ્લાદેશને પ્રેમ કરીએ છીએ. અમે બધા સરહદી દેશોને પ્રેમ કરીએ છીએ. હું સિલિગુડી, કાલિમપોંગ અને નેપાળ સરહદ નજીકના અન્ય વિસ્તારોના રહેવાસીઓને પણ શાંતિ જાળવવા અને તણાવ પેદા કરતી પ્રવૃત્તિઓ ટાળવા વિનંતી કરું છું.’તેમણે એ પણ ભાર મૂક્યો કે વિદેશ નીતિ કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્રમાં છે. બેનર્જીએ કહ્યું, ‘આપણે દખલ કરી શકતા નથી, આ અમારો મામલો નથી. જા આપણો પડોશી સારો હશે, તો આપણે પણ સારા રહીશું. અમે ઇચ્છીએ છીએ કે પડોશી દેશમાં શાંતિ પ્રવર્તે.’








































