ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું છે કે જો અમેરિકા ઈઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધમાં સક્રિય રીતે જોડાશે, તો તે “બધા માટે અત્યંત, અત્યંત ખતરનાક” હશે. તેમણે કહ્યું કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લશ્કરી હસ્તક્ષેપ પર વિચાર કરી રહ્યા છે. આ “અત્યંત દુર્ભાગ્યપૂર્ણ” છે.
અરાઘચીએ ઇસ્તંબુલમાં પત્રકારો સાથે વાત કરતી વખતે આ વાત કહી. તેઓ જીનીવામાં યોજાયેલી વાટાઘાટો પછી પરત ફરી રહ્યા હતા. આ વાટાઘાટોમાંથી કોઈ નોંધપાત્ર રાજદ્વારી ઉકેલ શોધી શકાયો નથી. વાટાઘાટોના સમાપન પર, અરાઘચીએ કહ્યું કે તેઓ વધુ વાટાઘાટો માટે ખુલ્લા છે, પરંતુ એ પણ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી ઇઝરાયલ હુમલા ચાલુ રાખશે ત્યાં સુધી ઈરાનને અમેરિકા સાથે વાટાઘાટોમાં કોઈ રસ નથી.
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારમાં વાટાઘાટો દરમિયાન, ઈરાનના વિદેશ પ્રધાન અરાઘચીએ કહ્યું કે ઇઝરાયલે આપણા પર ખોટી રીતે હુમલો કર્યો છે. યુદ્ધ આપણા પર લાદવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ઝાયોનિસ્ટ શાસન પેલેસ્ટીનિયનો સામે પણ ગુનાઓ કરી રહ્યું છે. તેણે પડોશીઓની ભૂમિ પર પણ કબજા જમાવી દીધો છે. તેથી, બધા દેશોએ તેનો વિરોધ કરવો જોઈએ.
અરાઘચીએ કહ્યું કે આ સંઘર્ષમાં અમેરિકન લશ્કરી હસ્તક્ષેપ પ્રાદેશિક અને વૈશ્વીક સ્થિરતા માટે ગંભીર ખતરો બની શકે છે. તેમની ટિપ્પણીઓ એવા સમયે આવી છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધમાં યુએસ લશ્કરી ભૂમિકા પર વિચાર કરી રહ્યા હોવાના અહેવાલ છે. આ અંગે પ્રતિક્રિયા આપતા અરાઘચીએ કહ્યું, “આ અમેરિકા માટે પણ એક દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય હશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ત્યારે જ શક્ય છે જ્યારે બધા પક્ષો રાજદ્વારીને પ્રાથમિકતા આપે અને સંઘર્ષને પ્રોત્સાહન આપતા પગલાં ટાળે.