સાવરકુંડલા લીલીયા પંથકમાં ખારાપાટ વિસ્તારોમાં ચોમાસામાં વ્યાપક ખેતીપાક નુકસાનીની ફરિયાદો જૂના સાવર ગામેથી થાય છે. શેત્રુંજી નદી કાંઠાનું જૂના સાવર ગામમાં વર્ષોથી ચોમાસામાં રેલમછેલ પૂર પ્રકોપથી ખેતીપાકો તબાહ થતા આવ્યા છે. આ સ્થિતિમાં તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને ભાજપ અગ્રણી મનુભાઈ ડાવરાએ જુના સાવરવાસીઓના ખેડૂતોની ફળદ્રુપ જમીનો પર શેત્રુંજી નદીનું પાણી ફરી વળતું હોય તેથી ખેતીપાક સાથે ખેતીની જમીન પણ ધોવાઈ જતી હોવાથી ધારાસભ્ય મહેશભાઇ કસવાલા સમક્ષ રજૂઆત કરીને જૂના સાવર ગામની પૂર સંરક્ષણ દિવાલ મજબૂત બને તો પૂર પ્રકોપના ભોગથી બચી શકાય તેવી રજૂઆત કરી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરી હતી. આ રજૂઆતથી સરકારે રૂ. ૯.૧૧ કરોડની રકમથી પૂર સંરક્ષણ દિવાલ બનાવવાની સૈધ્ધાંતિક મંજૂરી આપી હતી. આ સમાચાર મળતાં જૂના સાવર ગામે ખેડૂતોમાં હર્ષોલ્લાસ છવાયો છે.