પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગેરરીતિના કિસ્સાઓ સામે આવ્યા બાદ જૂનાગઢમાં કલેક્ટરે ૮ હોસ્પિટલોને નોટિસ ફટકારી છે. કેશોદની એક હોસ્પિટલને યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. ઇન્સ્યોરન્સ એજન્સી દ્વારા પણ ચેકિંગ કરાયું હતું. આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા તપાસમાં હોસ્પિટલોમાં બેદરકારી અને નિયમોનું ઉલ્લંઘન જાવા મળ્યું છે.
રાજ્ય સરકારે યોજના હેઠળની વિવિધ સારવાર માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જે હોસ્પિટલો આ માર્ગદર્શિકાનું પાલન નહીં કરે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારનો હેતુ છે કે લાભાર્થીઓને યોજનાનો સંપૂર્ણ લાભ મળી રહે અને કોઈપણ પ્રકારની છેતરપિંડી ન થાય.
રાજ્ય સરકારે યોજના અંતર્ગતની કાર્ડિયો, રેડિયો, કિમો, નિયોનેટલ કેર સહિતની સારવાર માટેની નવી માર્ગદર્શિકા બનાવી છે. જા આ એસઓપીનું જે હોસ્પિટલ પાલન નહીં કરે તેના પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સરકાર આ મામલે કડક વલણ અપનાવીને દોષિતો સામે કાર્યવાહી કરવાની ખાતરી કરી છે.