સાવરકુંડલાના જીરા ગામે રહેતા સુલ્તાનભાઈ ઓસ્માનભાઈ સૈયદ (ઉ.વ.૩૭)એ અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તેના પત્ની યાસ્મીનબેનને ડીલીવરી માટે તેનું મોટરસાયકલ લઈને સાવરકુંડલા લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરમાં દવાખાને આવ્યા હતા. બાજુમાં ખાદી ભંડારના ગેટ આગળ મોટરસાયકલ મૂકીને ગયા હતા. તેમણે આવીને જોયુ તો તેની મોટરસાયકલ નહોતું. આજુબાજુમાં તપાસ કરતા કયાંય મળી આવ્યું નહોતું. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.જે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.