અમરેલી જિલ્લાના તમામ ૧૧ તાલુકામાં તા.૧૪ અને ૧૫ ઓક્ટોબરના રોજ વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ વિકાસ દિન ઉજવણીની સાથે રવિ કૃષિ મહોત્સવ- ૨૦૨૫ યોજાશે. બે દિવસીય રવિ કૃષિ મહોત્સવમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા રવિ પાકો વિશે અને આધુનિક કૃષિ તાંત્રિકતા માટે પરિસંવાદ દ્વારા ખેડૂતોનું માર્ગદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત નવીન કૃષિ ટેકનોલોજી આધારિત
પ્રદર્શન, ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ, જિલ્લાના ખેડૂતોને જુદી જુદી યોજનાઓ હેઠળ સહાયનું વિતરણ, બે દિવસીય પશુ આરોગ્ય મેળાઓ પણ યોજાશે. જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ અમરેલીમાં કડવા પટેલ સમાજ વાડી, નારાયણ નગર શેરી નં. ૮, હનુમાનપરા રોડ ખાતે અને તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ બાબરા ખાતે દસલાણીયા વાડી, જલારામ મંદિર પાસે, અમરેલી રોડ, બગસરામાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર- કુંકાવાવ રોડ, ધારીમાં અરૂણ મુછાળા કોલેજ-સરસીયા રોડ, જાફરાબાદમાં નગરપાલિકા સેવાસદન ટાઉનહોલ ખાતે, ખાંભામાં જે.એન. મહેતા હાઇસ્કૂલ, એસ.બી.આઇ. બેંકની સામે, લાઠીમાં એ.પી.એમ.સી.- લાઠી ખાતે, લીલીયામાં એ.પી.એમ.સી.- લીલીયા, રાજુલામાં લુહાર-સુથાર વિદ્યાર્થી ગૃહની વાડી, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની પાસે, સાવરકુંડલામાં માર્કેટિંગ યાર્ડ ખાતે અને કુંકાવાવ – વડીયા તાલુકાનો મોટી કુંકાવાવમાં પટેલ સમાજની વાડી, અમરેલી રોડ ખાતે યોજાશે.








































