અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે પશ્ચિમ એશિયામાં કટોકટી વધુ ઘેરી બની રહી છે. ઇસ્લામાબાદમાં તાજેતરની શાંતિ વાટાઘાટોની નિષ્ફળતા બાદ પરિસ્થિતિવધુ જટિલ બની છે, જેનાથી વૈશ્વીક ચિંતાઓ વધી રહી છે. જાકે, બંને દેશો વચ્ચે નવી વાટાઘાટોની શક્યતા હવે ઉભી થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અગાઉની નિષ્ફળતા છતાં, રાજદ્વારી ચેનલો સક્રિય છે અને આગામી શાંતિ વાટાઘાટોની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. પ્રશ્ન એ ઉભો થાય છેઃ શું આ નવો પ્રયાસ તણાવ ઘટાડશે કે સંઘર્ષ વધારશે?
અહેવાલ મુજબ, બંને દેશો આ અઠવાડિયાના અંત સુધીમાં ફરી સામસામે મળી શકે છે. આ મંત્રણા બે અઠવાડિયાના અસ્થાયી યુદ્ધવિરામ પહેલાં થઈ શકે છે, જે ૨૧ એપ્રિલે સમાપ્ત થઈ રહી છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આગામી મંત્રણા માટે જીનીવાને સૌથી સંભવિત સ્થળ માનવામાં આવી રહ્યું છે. જા કે, તે હજુ સ્પષ્ટ નથી કે તે જ ઉચ્ચ-સ્તરીય ટીમ સામેલ થશે કે નહીં.
યુએસ મીડિયા અહેવાલો અનુસાર, રાષ્ટ્રીયપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે જા તેમને લાગે કે ઈરાન તેમની શરતો સ્વીકારવા તૈયાર છે તો તેઓ ટૂંક સમયમાં રૂબરૂ વાટાઘાટો ફરી શરૂ કરવા માટે તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને દેશો સમાધાન પર પહોંચવા અને છેલ્લા છ અઠવાડિયાથી ચાલી રહેલા તણાવને સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જાકે અગાઉની વાટાઘાટોનું કોઈ પરિણામ આવ્યું ન હતું, પરંતુ હવે વાટાઘાટો ફરી શરૂ કરવા માટે સંમતિ છે.
નોંધનીય છે કે સોમવારે અગાઉ, યુએસ પ્રમુખ ટ્રમ્પે ઈરાન સાથેની વાટાઘાટો અંગે એક મહત્વપૂર્ણ દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે નિષ્ફળ વાટાઘાટો પછી, ઈરાને ફરીથી યુએસનો સંપર્ક કર્યો છે અને કરાર પર પહોંચવા માંગે છે. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં ભાર મુક્યો હતો કે ઈરાન યુએસ સાથે વાટાઘાટો કરવા આતુર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલ તણાવ મુખ્યત્વે ઈરાનના પરમાણુ કાર્યક્રમ સાથે સંબંધિત છે. ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું હતું કે અમેરિકા ઈરાનને ક્્યારેય પરમાણુ સ્રતો વિકસાવવા દેશે નહીં.








































