અમરેલી લોકસભાનું ગતરોજ મતદાન થયું હતું. મતદાન પૂર્વે કર્મચારીઓ ફરજ પર હાજર થઈ ગયા હતા. મતદાન શરૂ થયા બાદ બપોરના સમયે અચાનક જાફરાબાદ શહેરની સાગર શાળામાં ચૂંટણી ફરજ બજાવતા કૌશિકાબેન બાબરીયા અચાનક ઢળી પડ્યા હતા. ઈમરજન્સી ૧૦૮ મારફતે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્‌યા હતા. ત્યારે ફરજ પરના તબીબ દ્વારા તેઓને મૃત જાહેર કરતા કર્મચારીઓમાં શોકનો માહોલ છવાયો હતો. હાર્ટ એટેકના કારણે મોત થયાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. આ ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા પણ દોડી ગયા હતા.
મૃતક કર્મચારીના મૃતદેહને પોસ્ટમાર્ટમ બાદ પરિવારને સોંપવામાં આવ્યો હતો.