જાફરાબાદમાં રહેતા એક આધેડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. હિંમતભાઈ મોહનભાઈ વાળા (ઉ.વ.૪૯)એ જાહેર કર્યા મુજબ, લક્ષ્મણભાઈ મોહનભાઈ વાળા (ઉ.વ.૫૫)એ સતત માથાના દુઃખાવાથી કંટાળી જાતે ગળાફાંસો ખાઈ લેતા મરણ પામ્યા હતા. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.એન. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.