વરસાદના કારણે અમરેલી જિલ્લાના ઘણા રોડ રસ્તા ધોવાઈ ગયા છે. જાફરાબાદ પંથકમાં પણ આવી હાલત છે. જાફરાબાદના નવા પુલ પર વરસાદના કારણે એક એક ફૂટના ગાબડા પડી ગયા છે. જાફરાબાદ ખાડી ઉપરના પુલ ઉપર ફૂટ ફૂટના ગાબડા પડતા વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. તેમજ જાફરાબાદ રાજુલા તરફ જતા ખાડી પરના નવા પુલ ઉપર ગાબડા પડતા લોખંડના સળિયા બહાર દેખાવા લાગ્યા છે. કોઈ અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર આ ખાડા પૂરે તેવી માંગ ઉઠવા પામી છે. તો બીજી તરફ જૂનો પુલ રાહદારીઓ માટે રીપેરીંગ કરી ચાલુ કરવાની પણ માંગણી કરવામાં આવી રહી છે. નવા પુલ ઉપર વધારે પડતા ટ્રાફિકના કારણે વારંવાર અકસ્માત થઈ રહ્યા છે ત્યારે હમીરભાઇ સોલંકી, કોળી સમાજ બોટ એસોસિયન પ્રમુખે રોડના તાત્કાલિક સમારકામની માંગ કરી છે.