અમરેલી જિલ્લામાંથી વધુ બે યુવતીઓ લાપતા બની હતી. સાવરકુંડલાના ગોરડકા ગામેથી એક યુવતી જાગરણ પૂજનનો સામાન લેવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થઈ હતી, જ્યારે અમરેલીમાંથી યુવતી ફરસાણની દુકાને સેવ લેવા જવાનું કહીને ગયા બાદ લાપતા બની હતી. ગોરડકા ગામે રહેતા નાજાભાઈ મામૈયાભાઈ ચાંદુ (ઉ.વ.૫૫)એ જાહેર કર્યા મુજબ, મમતાબેન નાગભાઈ ચાંદુ (ઉ.વ.૨૪) તથા શીતલબેન નાજાભાઈ ચાંદુ (ઉ.વ.૨૧) પોતાના ગામ ગોરડકાથી વિજપડી ગામે જાગરણ પૂજનનો સામાન લેવા ગયા બાદ ત્યાંથી કોઇને કહ્યા વગર ક્યાંક જતી રહી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ કે.એ.સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે. અમરેલી સિટીમાં રહેતા લીલાબેન આંબાભાઈ ચાવડા (ઉ.વ.૫૫)એ જાહેર કર્યા મુજબ, તેમની ભાણકી ભૂમીબેન કમલેશભાઈ કવાડીયા (ઉ.વ.૨૦) ૧૦ દિવસ પહેલા ફરસાણની દુકાને સેવ લેવા જવાનું કહીને નીકળ્યા બાદ ક્યાંક જતી રહી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.બી.ગોહીલ વધુ તપાસ કરી રહ્યા છે.