જસદણ સ્વામિનારાયણ મંડળના ૫૦ યુવકોએ અંકલેશ્વર નજીક યોજાયેલા ભવ્ય સ્વામિનારાયણ યુવા મહોત્સવમાં સેવા આપી હતી. અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર ૪૮ પાસેના એરપોર્ટ નજીકના ગ્રાઉન્ડમાં તા. ૪ અને ૫ મી જાન્યુઆરીના રોજ શ્રી હરિ પ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન થયું હતું. ગુરુહરિ પ. પૂ. હરિપ્રસાદ સ્વામીજીના ૯૧મા પ્રાગટ્ય પર્વને અનુલક્ષીને આ મહોત્સવ યોજાયો હતો. કાર્યક્રમના પ્રથમ દિવસે મહારક્તદાન શિબિર યોજાઇ હતી. બીજા દિવસે સત્સંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. બે દિવસીય કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી અંદાજે દોઢ લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. મહાપ્રસાદી માટે વિશેષ ૧૦ વીઘા વિસ્તારમાં રસોઈઘર બનાવવામાં આવ્યું હતું. છેલ્લા એક મહિનાથી ૩૦૦ જેટલા સ્વયંસેવકો સેવા આપી રહ્યા હતા. પ્રગટ ગુરુહરી પ્રબોધજીવનસ્વામીજી મહારાજના આશીર્વાદ લેવા માટે જસદણથી પાંચ બસ ગઇ હતી.