બ્રાહ્મણ જાતિ વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ જયપુરના બજાજ નગર પોલીસ સ્ટેશનમાં વિવાદાસ્પદ ફિલ્મ દિગ્દર્શક અનુરાગ કશ્યપ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હવે, આ બાબતને લઈને દેશભરમાં તેમની વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો અને કેસ દાખલ થઈ રહ્યા છે અને હવે જયપુરના બજાજ નગર પોલીસ સ્ટેશનમાં પણ તેમની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. બજાજ નગર પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર રામકૃપાલે જણાવ્યું કે બરકત નગરના રહેવાસી અનિલ ચતુર્વેદીએ શનિવારે રાત્રે ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે કશ્યપે બ્રાહ્મણ જાતિ અંગે જે વિવાદાસ્પદ પોસ્ટ પોસ્ટ કરી હતી તે સોશિયલ મીડિયા પર છે. આ વિવાદ ફિલ્મ ‘ફૂલે’ની રિલીઝ પછી સામે આવ્યો છે. આ ફિલ્મ સમાજ સુધારકો જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના જીવન પર આધારિત છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ તેના પર જાતિવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જાકે, હવે અનુરાગ કશ્યપ પણ પોતાના નિવેદન બદલ સોશિયલ મીડિયા પર માફી માંગી રહ્યા છે. તેમણે આ સંદર્ભમાં ઇન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કરી છે… હું માફી માંગુ છું પણ હું મારી પોસ્ટ માટે નહીં પરંતુ તે લાઇન માટે માફી માંગુ છું જેને ખોટી રીતે લેવામાં આવી હતી અને નફરત ફેલાવવામાં આવી હતી. કશ્યપે કહ્યું- કોઈ પણ ક્રિયા કે વાણી તમારી પુત્રી, પરિવાર, મિત્રો અને પરિચિતો કરતાં વધુ મહત્વપૂર્ણ નથી. તેણીને બળાત્કારની ધમકીઓ, જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે અને આ બધું એવા લોકો કરી રહ્યા છે જેઓ પોતાને સંસ્કારી કહે છે.