(એ.આર.એલ),શ્રીનગર,તા.૨૨
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં રવિવારે મોટો આતંકી હુમલો થયો હતો. આ આતંકી હુમલામાં ૭ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલાના તાર દુશ્મન દેશ પાકિસ્તાન સાથે જાડાયેલા છે. કાઉન્ટર ઈન્ટેલિજન્સ કાશ્મીરે નવા રચાયેલા આતંકવાદી જૂથ તારિક લબાચ અથવા મુÂસ્લમના આતંકવાદી ભરતી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. કાઉન્ટર ઈન્ટેલિજન્સ કાશ્મીરે મંગળવારે સવારે એક મોટું ઓપરેશન શરૂ કર્યું. સીઆઈકેની ટીમે શ્રીનગર, ગાંદરબલ, બાંદીપોરા, કુલગામ, બડગામ, અનંતનાગ અને પુલવામા સહિત અનેક જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા.
આ ઓપરેશન દરમિયાન, નવા રચાયેલા આતંકવાદી સંગઠન ‘તેહરીક લબક યા મુÂસ્લમ’ના આતંકવાદી ભરતી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કાઉન્ટર-ઇન્ટેલીજન્સ કાશ્મીરએ જણાવ્યું હતું કે જૂથ લશ્કર-એ-તૈયબાનો એક ભાગ હોવાનું માનવામાં આવે છે.
કાઉન્ટર-ઇન્ટેલિજન્સ કાશ્મીર અધિકારીએ જણાવ્યું હતું કે ‘તહેરીક લબ્બીક યા મુÂસ્લમ’ની આતંકવાદી ભરતી કથિત રીતે ‘બાબા હમાસ’ નામના પાકિસ્તાની આતંકવાદી હેન્ડલર દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ સાથે તેમણે કહ્યું કે આ સમગ્ર મામલે વધુ માહિતી પછીથી શેર કરવામાં આવશે.તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં રવિવારે રાત્રે થયેલા આતંકવાદી હુમલામાં છ મજૂરો અને એક ડાક્ટરના મોત થયા હતા. આતંકવાદીઓએ એક ખાનગી કન્સ્ટ્રક્શન કંપનીના કેમ્પ પર ગોળીબાર કર્યો હતો. જ્યાં ટનલ બનાવતા કામદારો રહેતા હતા. સેના અને પોલીસે વિસ્તારને ઘેરી લીધો અને એક આતંકીને ઠાર કર્યો. આ આતંકી પાસેથી હથિયારોનો જથ્થો મળી આવ્યો છે. આ આતંકી હુમલાની તપાસ માટે દિલ્હીથી ટીમ કાશ્મીર ગઈ છે.
આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓની ઓળખ થઈ ગઈ છે. મૃતકોની ઓળખ બડગામ જિલ્લાના રહેવાસી ડો. શાહનવાઝ, પંજાબના ગુરદાસપુરના રહેવાસી ગુરમીત સિંહ, બિહારના રહેવાસી મોહમ્મદ હનીફ, સેફ્ટી મેનેજર ફહીમ નાસિર અને કલીમ, મિકેનિકલ મેનેજર અનિલ કુમાર શુક્લા, મધ્ય પ્રદેશના રહેવાસી અને કઠુઆના રહેવાસી તરીકે થઈ છે. જમ્મુના ડિઝાઇનર શશી અબરોલ છે.