પાકિસ્તાન-પ્રાયોજિત આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદ એ તેના આતંકવાદી યુદ્ધમાં એક નવો મોરચો – મહિલા જેહાદ બ્રિગેડ શરૂ કર્યો છે. હવે, જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરનું ૨૧ મિનિટનું ઓડિયો રેકો‹ડગ સામે આવ્યું છે. આ રેકો‹ડગ સાંભળીને ખબર પડે છે કે મસૂદ અઝહર સ્વર્ગમાં મોકલવાના નામે મહિલાઓને લલચાવી રહ્યો છે અને તેમને આતંકવાદી જેહાદમાં સામેલ કરી રહ્યો છે. આ રેકો‹ડગ જૈશ-એ-મોમિનત માટે તેની નવી પાંખ, જમાત-ઉલ-મોમિનત હેઠળ આતંકવાદમાં મહિલાઓને તાલીમ, શિક્ષિત અને તૈનાત કરવા માટે એક વિગતવાર બ્લુપ્રિન્ટ જાહેર કરે છે. મસૂદ અઝહરે આ ભાષણ બહાવલપુરના મરકઝ ઉસ્માન ઓ અલીમાં આપ્યું હતું અને રેકોર્ડ કરવામાં આવ્યું હતું.

મસૂદ અઝહર પોતાના ભાષણમાં “વૈશ્વીક જેહાદ” માટે મહિલાઓની ભરતી, તાલીમ અને ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે તેનું વર્ણન કરતા સાંભળવામાં આવે છે. ઓડિયોમાં, મસૂદ અઝહર કહે છે કે જેમ પુરુષ આતંકવાદીઓ “દૌરા-એ-તરબિયત” નામના ૧૫ દિવસના કોર્ષમાંથી પસાર થાય છે, તેવી જ રીતે જમાત-ઉલ-મોમિનતમાં જોડાતી મહિલાઓ “દૌરા-એ-તસ્કીયા” નામના કોર્ષમાંથી પસાર થશે, જે બહાવલપુરના મરકઝ ઉસ્માન ઓ અલી ખાતે યોજાશે.

બે દાયકાથી, જૈશ-એ-મોહમ્મદની “દૌરા-એ-તરબિયત” યુવાનો માટે મગજ ધોવાના પ્રથમ તબક્કા તરીકે કામ કરી રહી છે. આ દરમિયાન, તેમને એવું માનવામાં આવે છે કે ભારત સામે જેહાદ સ્વર્ગની પ્રાપ્તિની ખાતરી આપે છે. હવે, મસૂદ અઝહર કહે છે કે તે જ વૈચારિક પ્રક્રિયા મહિલાઓ પર પણ લાગુ કરવામાં આવશે. મહિલાઓને “દૌરા-એ-તસ્કીયા” નામનો આ કોર્ષ પણ આપવામાં આવશે.

રેકો‹ડગમાં, અઝહર વચન આપે છે કે જે પણ મહિલા જમાત-ઉલ-મોમિનતમાં જોડાશે તે “મૃત્યુ પછી તેની કબરમાંથી સીધી સ્વર્ગમાં જશે.” તેમણે સમજાવ્યું કે જે મહિલાઓ પહેલો કોર્ષ પૂર્ણ કરશે તેઓ બીજા તબક્કામાં જશે, જેને “દૌરા-એ-આયત-ઉલ-નિસા” કહેવામાં આવે છે, જ્યાં તેમને શીખવવામાં આવશે કે ઇસ્લામિક ગ્રંથો “મહિલાઓને જેહાદ કરવાની સૂચના આપે છે.”

મસૂદ અઝહરે મહિલા બ્રિગેડની રચનાને યોગ્ય ઠેરવતા દાવો કર્યો હતો કે “જૈશના દુશ્મનોએ હિન્દુ મહિલાઓને સેનામાં ભરતી કરી છે અને મહિલા પત્રકારોને અમારી સામે ઉભા કર્યા છે.” તેમણે જાહેર કર્યું કે હવે અમે પણ “આપણી મહિલાઓને તેમની સામે સ્પર્ધા કરવા અને લડવા માટે સંગઠિત કરી રહ્યા છીએ.” મસૂદ દાવો કરે છે કે જૈશના પુરુષ મુજાહિદ્દીન આ નવા મહિલા એકમ સાથે ઉભા રહેશે અને મહિલા બ્રિગેડ “સમગ્ર વિશ્વમાં ઇસ્લામ ફેલાવશે”.

અઝહરે જાહેરાત કરી હતી કે મહિલા બ્રિગેડ, અથવા જમાત-ઉલ-મોમિનત, ની શાખાઓ, પાકિસ્તાનના દરેક જિલ્લામાં સ્થાપિત કરવામાં આવશે, દરેકનું નેતૃત્વ એક જિલ્લા મુંતઝીમા કરશે જે સંગઠનમાં મહિલાઓની ભરતી માટે જવાબદાર રહેશે. મસૂદ કડક નિયમો પણ નક્કી કરી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે બ્રિગેડમાં જોડાતી મહિલાઓએ તેમના પતિ કે પરિવારના સભ્યો સિવાય ફોન કે મેસેન્જર દ્વારા કોઈ પણ અસંબંધિત પુરુષ સાથે વાત ન કરવી જોઈએ.

અગાઉની તપાસમાં જાણવા મળ્યું હતું કે અઝહરે તેની બહેન, સાદિયા અઝહરને આ મહિલા બ્રિગેડના વડા તરીકે નિયુક્ત કર્યા હતા. તેની બીજી બહેન, સમાયરા અઝહર અને પુલવામા હુમલાખોર ઉમર ફારૂકની વિધવા, અફેરા ફારૂક પણ નેતૃત્વનો ભાગ છે. તેમને મહિલાઓને ઉશ્કેરવા અને ભરતી કરવા માટે દૈનિક ઓનલાઈન સત્રોનું આયોજન કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.