જન્માષ્ટમીના પાવન પર્વના દિવસે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. તેમજ સીનીયર સીટીઝન પાર્ક ખાતે નંદ ઉત્સવ ઉજવાયો હતો. આ તકે આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદના સ્થાપક ડો. પ્રવીણભાઈ તોગડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ નિમિત્તે ગૌવંશના અમરેલી જિલ્લાના સ્પેશિયલ સરકારી વકીલ ચંદ્રેશભાઇ મહેતાની ખૂબ જ સારી કામગીરી તેમજ ગૌવંશની કતલ કરનાર અપરાધીઓને દાખલારૂપી સખત સજા અપાવવા બદલ તેમજ મૂંગા પ્રાણીઓની વેદનાને વાચા અપાવીને ન્યાય અપાવવા બદલ ડો. પ્રવીણભાઈ તોગડિયા દ્વારા તેમનું ખાસ સન્માન કરવામાં આવેલ હતું. આ તકે પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડા. ગજેરા સાહેબ તથા પરિષદનાં રાષ્ટ્રીય મહામંત્રી તેમજ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી નિર્મળસિંહ ખુમાણ, અમરેલી જિલ્લા ટીમના મજબુતભાઈ બસિયા, સુરેશભાઈ સોલંકી, દિલીપભાઈ બામટા, એડવોકેટ દડુભાઈ ખાચર, જીલુભાઈ વાળા, કેતનભાઇ ઉકાણી તથા ડો. દેશાણી તથા મનસુખભાઈ રૈયાણી તથા તેમની ટીમએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.