(એ.આર.એલ),અમદાવાદ,તા.૮
જગન્નાથજીએ રથયાત્રા બાદ રાત્ર રોકાણ રથમાં કર્યુ હતું. રુક્મણી દેવીએ દ્વારા ન ખોલતા ભગવાને રાત્રરોકાણ કે રાતવાસો રથમાં કર્યો હતો. ત્રણેય ભાઈબહેન એકલા મોસાળ જતાં રહેતા દેવી રુક્મણિ નારાજ થઈ ગયા હતા.
તેના પછી આજે સવારે રુક્મણિજીએ ભગવાન માટે નિજ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા મંદિરના મહંતે ભગવાનને નિજમંદિરમાં બિરાજમાન કરાવ્યા હતા. નગરચર્યા કર્યા બાદ આજે ભગવાનની નજર ઉતારવામાં હતી. નગરચર્યા સમયે કોઈની પણ મીઠી નજર ન લાગે તે માટે નજર ઉતારવામાં આવી હતી.
જગન્નાથજીએ રથયાત્રા બાદ દેવી રુક્મણિની નારાજગીના લીધે રાત્ર રોકાણ રથમાં કર્યુ. જગન્નાથજીએ રથયાત્રા બાદ રાત્ર રોકાણ રથમાં કર્યુ હતું. રુક્મણી દેવીએ દ્વારા ન ખોલતા ભગવાને રાત્રરોકાણ કે રાતવાસો રથમાં કર્યો હતો. ત્રણેય ભાઈબહેન એકલા મોસાળ જતાં રહેતા દેવી રુક્મણિ નારાજ થઈ ગયા હતા.તેના પછી આજે સવારે રુક્મણિજીએ ભગવાન માટે નિજ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા મંદિરના મહંતે ભગવાનને નિજમંદિરમાં બિરાજમાન કરાવ્યા હતા. નગરચર્યા કર્યા બાદ આજે ભગવાનની નજર ઉતારવામાં હતી. નગરચર્યા સમયે કોઈની પણ મીઠી નજર ન લાગે તે માટે નજર ઉતારવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ૧૪૭મી રથયાત્રાના પ્રારંભ પૂર્વે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સવારે ચાર વાગે મંગળા આરતી કરી હતી. તેના પછી ભગવાનને સ્નાનાદિ પૂજન કરાવવામાં આવ્યું. સીએમ ભુપેન્દ્ર પટેલે પહિન્દ વિધિ કરી હતી. પહિન્દ વિધિમાં ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથને રથમાં બેસાડવામાં આવ્યા પછી રથયાત્રાના રસ્તાને સોનાની સાવરણીથી સાફ કરવામાં આવે છે.દેશનો રાજા હોય તે સોનાની સાવરણી લઈને રથયાત્રાના પ્રારંભિક રસ્તાની સફાઈ કરે છે. ગુજરાતમાં પહિન્દવિધિ સૌથી વધુ વખત કરવાનો રેકોર્ડ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે છે. તેઓ ૧૨ વર્ષ સુધી ગુજરાતના મુખ્યપ્રધાન રહ્યા હોવાથી તેમણે ૧૨ વર્ષ પહિન્દવિધિ કરી હતી. પછી સવારે સાત વાગે ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજી સાથે ભગવાન જગન્નાથનો રથ શહેરની નગરચર્યા માટે નીકળ્યો હતો. શ્રદ્ધાળુઓ સવારના પહોરથી ભગવાન જગન્નાથના દર્શન માટે ઉમટવા માંડ્યા હતા.